Friday 17 March 2023

Blurb: જનમટીપ- ઈશ્વર પેટલીકર

 Hello Everyone, I am Hinaba Sarvaiya Student of the English Department MKBU. In our Department Me and Himanshi Parmar both are leaders of the library committee. And we have to decide whether any student took the books by department and when they submitted after reading the book at that time they wrote a Short Blurb on this Book.


Blurb: જનમટીપ- ઈશ્વર પેટલીકર



ઈશ્વર પેટલીકર ની નવલકથા જનમટીપ વાચતા Anton Chekhov 'The Bet' નો ગુજરાતી અનુવાદ શરત માં જનમટીપ શબ્દનો ઉલ્લેખ થયેલ યાદ આવ્યો. જનમટીપ એટલે આજીવન કેદની સજા ને વળી પેટલીકર ની નવલકથા ૨૦૪ પાનાંની ને જનમટીપનો ઉલેખ નવલકથાના અંતમાં કે ભિમાંને પોતાના ગુના બદલ જનમટીપ ની સજા મળી પણ, શું તે શરૂઆતથી હોય તેમ કહી શકાય..? કેમ કે ચંદા પોતાના સ્વમાન ખાતર ભિમાંથી પોતાના પિયર જવું કે, તેની બીજી પત્ની અંબા કે પેહલા પતિના ખૂંખાર વર્તનથી ને પાછા ભીમાં દ્વારા ન સ્વીકાર ને કારણે પણ તેના માટે આ સબંધમાં જનમટીપ થી ઓછી સજા નહીં હોય. ને મુખ્ય વાત તો એ કે દેવા ના પૂર્વોજોનું વેર ન તો દેવાના બાપ સુધી સીમિત રહ્યું પણ તેનો શિકાર દેવો, ભિમો ને આમતો પૂરા પરિવાર થયું હતું. અંતમાં રામા ના મનશુબો પણ પૂરો થયો ને દેવાને અને ભિમાને જનમટીપની સજા કરાવીને પોતનું વેર વાળ્યું. આમ તો કેટલા પાત્રો છે જે જાણે અજાણે જનમટીપ ની સજા ભોગવતા હશે. અંતે ચંદા,પતિ અને સસરા કેદ થવાથી, ને આખા ઘરની જવાબદારી પોતાના માથે આવી તે પણ વતેઓછે જનમટીપ થી ઓછી નહિ હોય પણ આ સજા તો ચંદા એ ખુદ સ્વીકારી છે તો તે તેના માટે આ આશીર્વાદ રૂપ બની હોય તેમ નિર્ભય રીતે હિંમતથી સ્વીકારી. નાની વયે સાંઢ નાથ્યો તેવા પરાક્રમથી બધે ચર્ચામાં રહેતી, ચંદા મુશ્કેલ પરિસ્થિતિમાં મક્કમ રહી ને પૂરા પરિવારની જવાબદારી પોતાના માથે લીધી. ને અંતે ચંદા ને એક સુંદર પુત્રનો જન્મ થયો ને જનમટીપ નવલકથાનો અંત આવ્યો.


                -Hinaba Sarvaiya

 


No comments:

Post a Comment

Tell It Not In Gath One Act Play By Joe Corrie

  Hello Readers, I am Hinaba Sarvaiya, this blog is based on the one act played by Joe Corrie. We Know that the one act play means to perfor...